સોમવાર, 31 ઑગસ્ટ, 2009

રજકણ (3)







પરાજયથી તો હું ભટકતો નથી
નાના નાના વિજય જોઇને ગભરાટ છૂટે છે
એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને ,
પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે,
હું એવો તો નહિ બની જાઉં ને ?




એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો .
મેં કહ્યું કે મીઠી જબાનવાળા,
વિવેકી મનુષ્યોનો તમને
કદાચ પરિચય નથી .




હું ગાંડો છું ? હું ઉદ્ર્ત છું ?
ના, વધારે સ્પષ્ટ છું .
એમાં કુનેહ નહિ હોય ,
પણ સિદ્ધાંતવાદી વળી,
કુનેહના રમકડાથી રમે ખરો ?





જે મજા સંગ્રામમાં છે
તે મજા ખોઈને મુર્ખાઓ વિજય વાંછે છે !
વાંછવા દો.
વિજયના જેવો મહાન પરાજય જોઇને
કોણ નથી પસ્તાયું ?


ધૂમકેતુ (રજકણ માંથી )




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો