રવિવાર, 16 ઑગસ્ટ, 2009

==પ્રસન્નતા ==















પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી .
જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન શાંત ,નીરવ, સંકલ્પો અંદર ની તરફ વળે.શાંતિ ના તરંગો ધ્યાન પૂર્વક સંભળાય છે ,ત્યારબાદ સંકલ્પો ઉપરામ થાય છે .તત્વો થી પાર આધ્યાત્મિક સુરબદ્ધ શાંતિ થી ભરપુર ,પવિત્ર થોડા વિચારો ,મારા પિતા સાથે જોડાણ જે પરમાનંદ છે .જે શાંતિ નાં સાગર હોવાથી શાંતિ નો અનુભવ થાય છે પ્રેમ નો સાગર હોવાને લીધે પ્રેમનો અનુભવ થઇ રહ્યો છે આંનદ ના સાગર હોવાથી આનંદ અનુભવ થઇ રહ્યો છે,

==પરમ આનંદી દિવસ નાં વિચારો ==
**``રવિવાર **``

(૧) જે સંતુષ્ટ છે ,તે બેંક માં નાનકડું ખાતું હોવા છતાં પોતાની પાસે મોટો ખજાનો સમજે છે

(૨) સ્વતંત્રતા માનસમાંથી પ્રગટ થાય છે ,નહિ કે દોરડા કાપવાથી .

(૩) ઉમંગ આત્માને ઉચ્ચ અવસ્થામાં રાખે છે અને બીજા નાં હોઠ ઉપર હાસ્ય વેરે છે .

(૪)મંદ હાસ્ય કોઈપણ મુશ્કેલીનું કાર્ય ટૂંકું બનાવે છે .

(૫) વ્યર્થ કામ તમને ભારે તેમજ થાકેલા બનાવશે અને રચનાત્મક કાર્ય તમને સુખ ,તેજસ્વીતા અને નવી ચેતના આપશે

(૬)સંતુષ્ટતા અને આનંદ એક બીજા નાં સાથી છે ,આ ગુણો તમારા માટે બીજાની વચ્ચે આકર્ષણ ઉપજાવે છે .

(૭) જો ગઈકાલે થયેલી ભૂલ દ્વારા ગમગીનીમાં વિતાવી હોય તો આજનો દિવસ ગઈકાલ ને યાદ કરીને ગુમાવશો નહિ .

(૮) જેટલો આનંદ તમે પરિશ્રમ કરવામાં રાખશો તેના કરતા વધારે સુખ પરિશ્રમના પરિણામ મેળવવામાં થશે

(૯) જ્યારે તમે હર્ષિતમુખ રહો છો ત્યારે માત્ર તમેજ સુખનો અનુભવ નથી કરતા પરંતુ સાથે સાથે બીજાની ચેતનામાં પ્રકાશ નાં કિરણો પૂરો છો

(૧૦) જ્યારે મનુષ્ય મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો આનંદ અને હાસ્ય સાથે કરે છે ,ત્યારે જ મહાન જાહેર થાય છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો