રવિવાર, 6 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ ૮ )

વીરતા


કેવળ આવેશથી કોઈ પણ વાદ કે સિદ્ધાંત ટકી શકતો નથી .
જ્યાં સુધી તેના મૂળમાં ઠંડી વીરતાના
પાળી ન સિંચાય ત્યાં સુધી એનું
થડ ઉભું થતું નથી .



વૃતિ


મનુષ્ય પોતે ભલે ભયંકર ના દેખાતો હોય છતાં પણ ભયંકર હોય શકે .
કેટલાય મનુષ્યો ખૂની હોય છે . જોકે
એમને કોઈ દિવસ ખૂન કર્યું હોતું નથી
ખૂન કરવા માટે માણસ ને જાનથી મારવાની જરૂર નથી .
જાન લેનારા ઘણાખરા ખૂનીઓ
આવેશનો ધક્કો પામેલા માનસિક રોગી હોવાનો વધારે સંભવ છે .
ખૂન, ઠંડી રીતે પણ થઇ શકે છે .
અને એવા ખૂનીઓ જ ભયંકર હોય છે .
વિશ્વાસઘાત કરનારા ,
બેહુદુ વ્યાજ ખાનારા ;
લીકવીડેસન માં લઇ જવાના હેતુ થી લીમીટેડ કંપની કાઢનારા ,
એકાદ બે છુટા છવાયા ખૂણો થી સમાજ ખળભળતો નથી ,
સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂની મંડળીઓથી .



હેતુ


મડદું જોઇને શું રડો છો ?
હેતુ વિનાના જીવનની
દરેકે દરેક પળ એક મડદું છે .



યોગ્યતા


યોગ્યતા વિનાના અધિકારીઓના હાથમાં સત્તા આપવી ,
એ પતનનો ટૂંકમાં ટૂંકો અને સહેલામાં સહેલો રસ્તો છે .



ધૂમકેતુ (રજકણ માંથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો